Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)
Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)
150multilingual records
Previous-year practice
Gujarati question paper
Live
Q61.“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને / પરથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને.” — પંક્તિના કર્તા કોણ છે ?
Correct answer: પ્રીતમ
Q62.અખાના છપ્પામાં આવતાં ઉલ્લેખ પ્રમાણેઅખો કોને ગુરુ કર્યા હતા ?
Correct answer: ગોકુળનાથ
Q63.જોડકણાં અને ઉખાણાં જેવા પ્રકારોનો સમાવેશ કાવ્યના કયા વર્ગમાં કરવામાં આવે છે ?
Correct answer: મુક્તક
Q64.ગઝલના છંદો શેના આશ્રિત છે ?
Correct answer: વજન
Q65.નીચેનામાંથી રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા કઈ છે ?
Correct answer: ગ્રામલક્ષ્મી
Q66.નીચેનામાંથી અનુઆધુનિકતાનું મહત્વનું લક્ષણ કયું છે ?
Correct answer: ત્વરિત પરિવર્તન
Q67.નીચેનામાંથી બળવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ કયો છે ?
Correct answer: ભણકાર
Q68.નીચેનામાંથી ‘ગુજરાત શાળાપત્ર’ સામાયિકના તંત્રી કોણ હતા ?
Correct answer: નવલરામ પંડ્યા
Q69.મુક્તકનું કદ કેવું હોય છે ?
Correct answer: લઘુ
Q70.નીચેની નવલકથા સાથે તેના નવલકથાકારને જોડો : A. ‘ચહેરા’ B. ‘આકાર’ C. ‘નિશાચક’ D. ‘અશ્રુઘર’ i. કિશોર જાદવ ii. રાવજી પટેલ iii. ચંદ્રકાન્ત બક્ષી iv. મધુરાય
Correct answer: A-iv, B-iii, C-i, D-ii
Q71.ગુજરાતી સાહિત્યમાં ‘યુગમૂર્તિ નવલકથાકાર’ તરીકે કોણ ઓળખાય છે ?
Correct answer: રમણલાલ દેસાઈ
Q72.નીચેનામાંથી ‘હાઈડું’ શબ્દના મૂળમાં કયો શબ્દ રહેલો છે ?
Correct answer: હોઇડું
Q73.નીચેનામાંથી કોને ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણવામાં આવે છે ?